Friday, August 21, 2009

ફરાળી વાનગી સ્ટોરીનું ઇનપુટ શ્રાવણ મહિનો આવતા જ ફરાળી વાનગી લોકોને યાદ આવવા લાગે છે. મોટાભાગે આખો મહિનો એકટાણા કે ફરાળ કરતા લોકોને દરરોજ ફરાળમાં શું આહાર લેવો તેઓ પ્રશ્ન સતાવતો હોય છે. મોટાભાગે ફરાળમાં બટાટાની પેટીસ, ચેવડો, વેફર્સ, સાબુદાણાની ખીચડી,રાજગરાનો શીરો, રાજગરાની પૂરી કે સામાની ખીચડી એ રુટીન થઇ ગયુ છે. પરંતુ હવે રાજકોટનમાં આ કોમન વાનગીઓ ઉપરાંત ફરાળી ફાસ્ટ ફુટ પણ બહુ સરળતાથી મળી રહયા છે. મોજીલા રાજકોટવાસીઓને કઇને કઇ નવું જોઇતુ હોય છે. અને એટલે જ રાજકોટની બજારમાં ફરાળની નીતનવી આઇટમો મળે છે. જેમાં ફરાળી પીઝા, ફરાળી ઢોસા, ફરાળી મસાલા ઢોસા, ફરાળી દહીવડા, ફરાળી ઢોકળા, ફરાળી ભેળ, ફરાળી રગડો, ફરાળી દાલવડા, ફરાળી અમેરિકન ટેટા, ફરાળી ચીઝ ટેટા વગેરેનો સમાવેશ થાય છે.હા, ફાસ્ટ ફુડમાં રસ નહોય તેના માટે ફરાળી ખાખરા, ફરાળી બિસ્કીટ, ફરાળી દિલ્હી ચાટ પણ રાજકોટમાં મળવા લાગ્યા છે.રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી શરુ થયેલ ટીપીએસ રેસ્ટોરન્ટમાં છેલ્લા બે વર્ષથી બારેમાસ ફરાળી વાનગીઓ મળી રહે છે. રેસ્ટોરન્ટના ઓનર મનસુખ વાઘેલા કહે છે, ર્ ર્ મારી વાઇફને ૩૬પ દિવસ ફરાળી વાનગીઓ લોકોને મળી રહેવી જોઇએ તેવો વિચાર આવ્યો. લોકો દરરોજ રુટીન ફુડ લેતા જ હોય છે પરંતુ તેમને કંઇક નવું અને અલગ આપવા માટેનો આ વિચાર હતો. પહેલા તો શ્રાવણ મહિના સિવાય તમને ફરાળી વાનગી કયાય ન મળે. જે લોકો નિયમિત રીને શનિવાર, રવિવાર, સોમવાર કે વાર ઉપરાંત અન્ય કોઇ ઉપવાસ કે ફરાળ કરતા હોય તેમને સરળતાની ફરાળી વાનગી મળી રહે તવો પણ આઇડિયા હતો અને તેના કારણે અમે વિવિધ પ્રકારન વાનગીઓ રાખી.ર્ ર્ મનસુખભાઇની રેસ્ટોરન્ટમાં સાબુદાણાની ખીચડી(રુ.ર૭)ઉપરાંત ફરાડી દાલવડા(રુ. ૩૪), ફરાડી અમેરિકન ટેટા(ભજિયા, રુ. ૪ર), ફરાળી સાદા ઢોસા (રુ.૩૯), ફરાળી મસાલા ઢોસા (રુ.૪૬), ફરાળી ચીઝ ટાટા (રુ. પ૭), ફરાળી પનીર ટાટા (રુ.૬૪), , શકકરીયાનો શીરો (રુ.પ૯), ફરાળી દહીવડા (રુ.ર૯) મળી રહે છે. આ ઉપરાંત પૂરી ફરાળી થાળી (રુ. ૬૯)ની મળી રહે છે.એક જ સ્થળે બધુ મળી રહે તેવું હટકે સ્થળ રાજકોટમાં આવેલુ છે. તો રાજકોટના સદર વિસ્તારમાં આવેલ વિનોદ બેકરીમાં ફરાળી રાજગરાના પીઝા અને ફરાળી બિસ્કીટ પણ મળી રહે છે. બેકરીના ઓનર નૈષધ પાથરાણી કહે છે, ર્ ર્ હું શ્રાવણ મહિનો રહયો હતો. આ દરમિયાન મને પીઝા ખાવાનું મન થયું. પીઝા ફરાળી ન હોય. એટલે મેં ફરાળી પીઝા બનાવવાનું વિચાર્યુ. અને છેલ્લા ત્રણેક વર્ષથી અમે ફરાળી પીઝા દર શ્રાવણ માસમાં બનાવીએ છીએ. રોજના ત્રીસેક પીસ પીઝાના વહેચાય છે. પીઝાની કિંમત એક નંગના ત્રીસ રુપિયા છે. અમે ભાવ વાજબી રાખયો છે એટલે કોઇ પણ વર્ગનાને પીઝા ખાવા પોસાય. શ્રાવણ માસ સિવાય અમે ફરાળી પીઝા નથી રાખતા. જો કોઇનો ઓર્ડર આવે તો બનાવી આપીએ છીએ.ર્ ર્ નૈષઘભાઇની બેકરીમાં ફરાળી રાજગરાના બિસ્કીટ (એક કિલોના રુ.૧ર૦) અને ફરાળી ટોપરાના બિસ્કીટ (એક કિલોના રુ.૧ર૦) રાખે છે. ફરાળી બિસ્કીટ તો બારે માસ મળી રહે છે. આ તેમની ખુદની બેકરીની જ પ્રોડકટ છે. છેલ્લા દસેક વર્ષથી તેઓ ફરાળી બિસ્કીટ બનાવે છે. ફળાહાર વિશે સામાન્ય રીતે એવું કહેવાય છે કે ફળૅઆહાર. પહેલાના રુષીમુનીઓ ફળ ખાઇને વ્રત કરતા પરંતુ ધીમેધીમે એમાં બટાટા, રાજગરો, તપકીર, સાંબો, સાબુદાણા વગેરે ખાવાની છુટછાટ આપવામાં આવી. રાજકોટના પ્રાચીન મંદિર પંચનાથ મંદિર માં ૪૦ વર્ષથી પૂજારી હરિહરભાઇ ત્રિવેદી કહે છે, ર્ ર્ ફળો ઉપરાંત જયુસ, સુકીભાજી, વેફર્સ, ચેવડો, સાબુદાણાની ખીચડીખાઇને અપવાસ કરીને શ્રાવણમાસ રહી શકાય. શ્રાવણ માસમાં તથા શિવશકિતનું માહત્મ્ય હોવાથી ચોમાસાની સિઝન હોય શરીરની અંદર સ્ફુર્તિ અને ઉત્સાહ જળવાઇ રહે તેવો પણ ઉદેશ રહેલો છે.ર્ ર્ અત્યારની ફરાળની અંદર અવનવી વાનગીઓ આવે છે. ફરાળમાં પણ ફાસ્ટફુડ મળવા લાગ્યુ છે. અને ખાસ કરીને યંગસ્ટર આવી અવનવી વાનગી પ્રત્યે આકર્ષાઇને શ્રાવણ માસના સોમવાર રહેતા હોય છે. રાજકોટની એસ.વાય, બી.કોમ.નો અભ્યાસ કરતી મૈત્રી અને ધો.૧ર કોમર્સમાં અભ્યાસ કરતી કેરવી બંને ઘરના અન્ય સભ્યો શ્રાવણ મહિનો કરતા હોય તેનાથી પ્રેરાયને ખાસ તો નવીનવી વાનગી ખાવા મળે એટલે શ્રાવણિયા સોમવાર કરે છે. મૈત્રી અભિયાન સાથેની વાતમાં કહ છે,ર્ ર્ મારા ભાભુ અને કાકી બંને શ્રાવણ મહિનો રહે રુટિન કરતા અલગ અલગ વાનગીઓ બને. અને તેનાથી આકર્ષાઇ હું પણ સોમવાર રહુ છે. ભગવાનની ઉપાસના સાથે ચેન્ઇજ ઓફ ફુડ પણ મળે.ર્ ર્ રાજકોટના રસિકભાઇ ચેવડાવાળા દારા શ્રાવણમાસ નિમિતે ફરાળી રાજગરાના ખાખરા અને રાજગરાના લાડુ રાખે છે. રસિકભાઇ ચેવડાવાળા હિરેન ગઢિયા કહે છે,ર્ ર્ રોજ હજારો કિલો ફરાળી વાનગીનો વેપાર રાજકોટમાં થયા છે. ચેવડો, પેટિસ અને વેફર્સ એ રાજકોટની સ્પેશ્યાલીટી છે. અન્ય વાનગીઓ એકસ્ટા વેચાતી હોય છે.રાજકોટના કેનાલ રોડ ઉપર ફરાડી રગડો મળે છે. તો એક રેસ્ટોરન્ટમાં ફરાળી સમોસા પણ મળી રહ છે. મૈત્રીના ભાભુ છાયાબહેન દવે છેલ્લા પચ્ચીસ વર્ષથી નિયમિત રીતે શ્રાવણ મહિનો રહે છે. તેઓનું જોઇન્ટ ફેમિલિ છે. એટલે ઘરના અન્ય સભ્યો પણ શ્રાવણ મહિનો રહેતા હોય તેમના ઘરમાં અનેક નીતનવી ફરાળી વાનગી બનતી હોય છે. જેમાં સાબુદાણાના વડા, સાંબાના ઢોકળા, ફરાળી દહીવડા, ઢોકળા, સાંબાના લોટનું ખીચુ, સાંબાના લોટના પુડલા બનાવાતી હોય છે. આજના યુવાનો પણ શ્રધ્ધાપૂર્વક શ્રાવણમાસમાં ઈશ્વરની ઉપાસના કરતા રહેતા હોય છે. રાજકોટના ૩૦ વર્ષીય યુવા એડવોકટ રણજીત પારેખ દર સોમવાર રહે છે. અને દરરોજ શિવમંદિરે જાય છે. તેઓ કહે છે,ર્ ર્ મારે મન તો ફળ ખાઇને જ ફળાહાર કર્યો કહેવાય. હું બટાકા સહિતની અન્ય કોઇ વાનગીઓ ખાતો નથી. જંકફુડ તો કયારેય જ નહી. તે બેકટેરિયાયુકત હોય છેર્.ર્ રેસીપીસ્ટીમ ઢોકળાસામગ્રી ઃ પ૦૦ ગ્રામ બટેટા, પ૦૦ ગ્રામ શિંગાળાનો લોટ, ર ચમચી આદુમરચાની પેસ્ટ, એક વાટકી ખાટુ દહી, રપ૦ ગ્રામ સાબુદાણા, સિંધવ, મીઠુ રીત ઃ બટેટાને બાફીને છોલીને છુંદો કરીને માવો બનાવો. સાબુદાણાને બે કલાક પાણીમાં પલાળી રાખવા. બધુ મિકસ કરી દહી નાખી ઠોકળાનું ખીરુ કરવું. તેમાં મરચા, સિંધવ, આદુ, ખાવાનો સોડા નાખી મીકસ કરવુ. ઠોકળા જેવુ ખીરુ કરી ૧૦ મીનીટ રાખવુ. આથો આવવા દેવો. ત્યારબાદ થાડીમાં પાથરી ઠોકળિયામાં બાફી લેવુ. બફાયા પછીતેના કટકા કરી નાખવા.આ વાનગીમાંથી પ૦૦ ગ્રામ કેલરી મળે છે. મસાલા ઢોસાસામગ્રી ઃ પ૦૦ ગ્રામ મૌરયો, પ૦૦ ગ્રામ બટેકા, ર૦૦ ગ્રામ શિંગોળાનો લોટ, લીંબુનોરસ, ખાંડ, લીલા મરચા, દહી, નાળિયેરનું છીણ, સિંધવ, મરચુ, કોથમીર, જુરી, તેલરીત ઃ મૌરયાને પ કલાક પાણીમાં પલાળી પાણી નીતારો. તેને વાટો ત્યારબાદ શિંગોળાના લોટમાં સિંધવ નાખો. પાણીમાંથી પાતળુ ખીરુ બનાવો. બટાટાને બાફીને છાલ ઉતારી તેમાં કટકા કરી તેલ અને જુરી નાખી વધારો. મરચુ, કોથમીર, લીલામરચાના કટકા, લીંબુનો રસ, ખાંડ, સિંધવ તેમાં નાખીને હલાવો. ત્યારબાદ ઠોસાની લોઠીમાં ખીરુ પાથરી એક પડ શેકાયા બાદ તેને ઉતારી લો. શેકાયેલા પડને ઉથલાવી અડધો ભાગ વાળી તેના પર બટાટાનો મસાલો પાથરોફ દહીને વઘારી તેની સાથે ખાવ. આ વાથગીમાંથી ૯૦૦ ગ્રામ કેલરી મળે છે.

No comments:

Post a Comment