Wednesday, August 19, 2009

રાજયુધ્ધઃ રાજઘરાનામાં થતાં સંપતિના ઝઘડા ઃ રાજ મહેલોને લાગ્યો રાજહઠનો રોગ
દરેક માતા તેના બાળકોને એક હતો રાજા, એને બે હતી રાણી. એક હતી માનીતી રાણી. અને એક અણમાનીતી. રાજાને એક કુંવર હતો. વગેરે વગેરે વાર્તા કહેતી હોય છે. રાજારાણીની વાર્તા હવે ભૂતકાળ બની ગયા છે. આમ છતાં લોકો આજે પણ રાજાના પરિવારને ભુલ્યા નથી. રાજ પરિવારની ઘટના જયારે પણ અખબારોના પાને ચમકે ત્યારે લોકો તેમાં અચૂક રસ લેતા જ હોય છે. એમાય ખાસ કરીને રાજ પરિવારના સંપતિના ઝઘડા હોય ત્યારે લોકોને વધુ અચરજ થાય છે.રાજ કુટુંબ કે મોટા પરિવારમાં મિલકતના ઝઘડા સામાન્ય થઇ ગયા છે. ગાયકવાડ, કોંગ્રેસી નેતા અને ગ્વાલિયર સ્ટેટના સ્વ. માધવરાય સિંધિયા અને તેઓના માતા વિજયરાજે સિંધિયા સાથેનો વિવાદ જગજાહેર છે. બિરલા, અંબાણી વગેરે જેવા પ્રતિષ્ઠિત કુટુંબો પણ મિલકતની ખટપટથી પીડાય છે. જોકે ગુજરાતમાં પણ રાજ પરિવારના સંપતિ માટેના ઝઘડા કોર્ટ સુધી પહોંચ્યા છે. દેશના અનેક રાજવી પરિવારનો આંતરિક વિવાદ જાહરેમાં આવેલો છે. કચ્છનો રાજવી પરિવાર પણ મિલકતની વહેંચણી અને કૌટુંબિક તકરારનો ભોગ બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી બાવાની માલિકીનું કરોડો રુપિયાનું ઝવેરાત અને અબજથી વધુ કિંમતના પાંચ રાજ મહેલોની માલિકી માટે તેમની ત્રીજી પેઢીના કુટુંબીજનો છેલ્લા ત્રીસેક વર્ષથી લડી રહયા છે.માંડવીનો વિજયવિલાસ રાજમહેલ અને એની બહાર આવેલી લગભગ ૪૦૦ એકર જમીન, ભુજના દરબારગઢમાં આવેલો પ્રાગમહેલ અને આયના મહેલ, શરદબાગ પેલેસ અને એની અંદર આવેલુ કોટડીબાગ નામનું વિશાળ ફાર્મહાઉસ, મૂલ્યવાન રાચરચીલુ અને સાચા હીરા તેમ જ સોનાના ભવ્ય ખજાનાની માલિકી માટે મહારાવ મદનસિંહજી અને તેમના બાકીના પરિવારજનો ત્રીસેક વર્ષથી કોર્ટે ચડયા છે.મિલકતના ઝઘડામાં રાજવી મદનસિંહજી અને તેમના પત્ની વચ્ચે મતભેદ થતાં યુવરાજ પૃથ્વીસિંહજી, પ્રાગમલજી અને ભૂપતસિંહ માતા સાથે જોડાયા. તથા પિતા સાથે એક પુત્ર હનવંતસિંહ જોડાયા હતા. મદનસિંહની પુત્રીઓ પણ દાવામાં જોડાઇ હતી. અને હિંદુ વારસા પ્રમાણે કુટુંબના દરેક સભ્યને સરખો હકક આપવા માગણી થઇ હતી. એની સામે મદનસિંહજીએ બચાવમાં એવી દલીલ કરી કે વિલીનીકરણ થયું ત્યારે કચ્છ રાજયના તેઓ છેલ્લા રાજા હતા. અને રાજયની તમામ મિલકતો તેમની અંગત માલિકીની ગણાય. અને રાજયની મિલકતોનો તેઓ ધારે તે રીતે વહીવટ અને નિકાલ કરી શકે છે. અને કુટુંબના સભ્યાનો તેમા ભાગ માગવા હકકદાર નથી. ભુજની અદાલતે મદનસિંહનજી તરફેણમાં ચુકાદો આપતા પ્રાગમલજીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.કચ્છ રાજયની મિલકતના વિવાદમાં મુખ્ય રહેલા મહારાવ મદનસિંહજી, મહારાણી રાજેન્દકુંવરબા અને કુંવર ભૂપતસિંહ કેસના નિકાલ પહેલા સ્વર્ગે સિધાવી ચૂકયા છે. જયારે બાકીના તમામ પક્ષકારો ૬૦ વર્ષથી વધુ ઉંમરના છે. રાજપરિવારના સંપતિનો ઝઘડો વાંકાનેરમાં પણ ચાલ્યો હતો. વાંકાનેરના રાજા પ્રતાપસિંહ ૧૦૦ વર્ષની ઉંમરે બેએક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. તેમના પુત્રો દિગ્વિજયસિંહ અને રણજીતસિંહ વચ્ચે મિલકત પ્રશ્ને તકરાર થઇ હતી. નાના પુત્ર રણજીતસિંહે મિલકતના પ્રશ્ને દિગ્વિજયસિંહ સામે કેસ કર્યો છે. આ રાજ પરિવારના સંપતિના ઝઘડાને હજુ લોકો નથી ભુલ્યા ત્યાં ચુડાના રાજ પરિવાર સંપતિના પ્રશ્ને ફરી ચર્ચામાં આવ્યો છે. ચુડાના રાજવી પરિવારનો વિવાદ પોલીસ મથકે પહોંચતા ચકચાર ફેલાઇ ગઇ છે. ભૂતકાળમાં ઝાલા કુળના હરપાલદેવે સવંત ૧૧પ૧માં પાટડીમાં રાજગાદીની સ્થાપના કરી હતી. તેમના વંશ હળવદ, વઢવાણ, વાંકાનેર, લીંબડી, ચુડામાં હતા. તેમની ૩પમી પેઢીએ અભેરસિંહ રાજુજીએ ઇ.સ.૧૭૦૬માં ચુડામાં રાજગાદી સ્થાપી હતી. તેમની ૧૧મી પેઢીએ ધર્મેન્દસિંહજી રાજગાદીએ આવ્યા. તેમના ૧૯૪૮માં લાઠીના ઠાકોરના કુંવરી ભારતીદેવી સાથે લગન્ થયા. ધર્મેન્દસિંહજીએ આઝાદી પછી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. સૌરાષ્ટ સકૃલમાં ધારાસભ્ય બન્યા હતા. તેમને ચાર પુત્રો હતા. જેમાં કૃષ્ણકુમાર, પૂરણસિંહ, ફાલ્ગુનસિંહ, સુકેતુસિંહ છે. ધર્મેન્દસિંહજીએ ચુડામાં કેળવણી મંડળની સ્થાપના કરી. પ્રાથમિક શાળા સ્થાપી. તેમનું ૧૯૯૯માં અવસાન થયુ હતું. ધર્મેન્દસિંહે ચારે પુત્રોને ૧પ એકર જમીન વારસામાં આપી હતી. ચુડા મરચા માટે પ્રખ્યાત છે.ચુડા સ્ટેટના મહારાણી ભારતીદેવી ધર્મેન્દસિંહ ઝાલાએ પોતાના જયેષ્ઠ પુત્ર કૃષ્ણસિંહ ઝાલા વિરુધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેમના જયેષ્ઠ પુત્ર અને તેમના પત્ની જયાકુમારીને પોતાના(રાજમાતા) કરિયાવરમાં આવેલા દાગીનાઓ તથા અન્ય ચીજ વસ્તુઓ સાચવવા માટે આપ્યા હતા.. આ દાગીના તથા ચીજવસ્તુઓ જયારે માંગીશ ત્યારે પરત આપવાના વિશ્વાસ તથા જરુર પડયે પરત આપવાની મંજૂરીએ આપવામાં આવ્યા હતા.જો કે આ દાગીના તેઓેને જરુર છે ત્યારે પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ કૃષ્ણસિંહ અને જયાકુમારી વિરુધ્ધ નોંધાવવામાં આવી છે. રાજમાતાએ ફરિયાદમાં જણાવ્યુ તેમાં રાજવી પરિવાર અને પિયરમાંથી મહારાણીને જે વસ્તુ તેને મળી હતી તેમાં સોનાચાંદીના નકકર બાજોઠ, સોનાની નકકર તલવારો, સાનાચાંદીના થાળી, વાટકાઓ, લોટા, પ્યાલા વોકીંગ સ્ટીક સહિતની એન્ટીક વસ્તુઓનો સમાવેશ થાય છે. આજની બજાર કિંમતે આ જણસોની કિંમત કરોડો રુપિયા થાય છે.ચુડાનો રાજવી પરિવાર આ પહેલા પણ વિવાદમાં સપડાઇ ચૂકયો છે. થોડા વર્ષેો પહેલા મહારાણી ભારતીદેવીના ચાર પુત્રો વચ્ચે મિલકતની વહેંચણીની બાબતમાં ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં પણ મામલો પોલીસ મથેકે પહોંચ્યો હતો. સંપતિ અંગેના વિવાદ અંગે જેની સામે રાજમાતાએ ફરિયાદ કરી છે તે કૃષ્ણસિંહ અભિયાન સાથેની વાતમાં કહે છે,ર્ ર્ સંપતિનો આ વિવાદ બહાર આવ્યો તેથી વ્યકિતગત રીતે હું દુઃખી છુ. મને આ ગમ્યુ નથી. મારા પિતાની હયાતીમાં જ માતાજીની હાજરીમાં જ મને ફરિયાદમાં દર્શાવેલ સંપતિ આપવામાં આવી હતી. આ હકીકત છે. મારી સામેની ફરિયાદ ખોટી છે. મારા પરિવારના કેટલાક સભ્યાએ માતાજીને ચડામણી કરીને આ બધુ કરાવ્યુ છે.ર્ ર્ રાજમાતા ભારતીદેવી સંપતિના આ વિવાદથી દુઃખી છે. તેમની તબિયત પણ નાદુુરસ્ત છે. તે જેમની સાથે હાલમાં રહે છે તે પુત્ર સુકેતુસિંહ અભિયાન સાથેની વાતમાં કહે છે,ર્ ર્ર્ અમારા માતા પહેલા કૃષ્ણસિંહજી સાથે રહેતા હતા. એ દરમિયાન જ માતાજીએ સાચવવા આપેલી બધી ચીજવસ્તુઓ લઇ લીધી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ અંગેનો કેસ પણ ચાલી રહયુ છે. કૃષ્ણસિંહજીએ આ બધી જ ચીજવસ્તુઓ તેમના દીકરાના લગન્માં ડિસપ્લે પણ કરી હતી.ર્ ર્ રાજમાતાએ પોતાના પુત્ર સમો જ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી છે. જયારે કૃષ્ણસિંહ કહે છે કે આ વિરોધીઓની ચાલ છે. આમાં કોણ ચાચુ છે કે ખોટુ તે ખબર નથી. પરંતુ હા, વૈભવશાળી ઇતિહાસ ધરાવતા રાજપરિવારનો કૌટુંબિક કલેશના કારણે ગૌરવાશાળી રાજકુટુંબનો મોભો ઝંખવાતો લાગે છે.

No comments:

Post a Comment