Friday, August 21, 2009
કચ્છી બોલીને હવે મળયો શબ્દ દેહ અત્યાર સુધી જે ભાષા બોલી જ શકાતી હતી પરંતુ લખી શકાતી ન હતી તે કચ્છી ભાષાને હવે કાગળ ઉપર લખી શકાશે. કચ્છી બોલીને શબ્દાવતાર મળયો છે.કચ્છીઓને લખવા માટે ગુજરાતી સહિતની અન્ય ભાષાનો સહારો લેવો પડતો હતો. હવે કચ્છીઓ પોતાની ભાષામાં લખી શકશે. હા, આ શકય બન્યુ છે. મૂળ કચ્છના પણ હાલમાં અમદાવાદમાં રહેતા પાંત્રીસ વર્ષીય ડો. રાજુલ શાહે પેઢીઓથી બોલાતી કચ્છી ભાષાની લિપિ બનાવી છે. અને ભારતની ર૭મી ભાષા તરીકે તેને માન્યતા અપાવવાનો પ્રયાસ કર્યો છે.આમ ડો. રાજુલ શાહનો એક આખી લિપિ વિકસાવનાર તરીકે દેશની પ્રથમ વ્યકિત બન્યા હોવાનો દાવો છે. ડો. રાજુલ શાહ સાઇકોલાજીસ્ટ, ગ્રાફોલોજીસ્ટ અને ડોકટર છે. આયુર્વેદમાં એમ.ડી. કર્યુ છે. તેઓ ઘણાંવર્ષોથી ગ્રાફોલોજીસ્ટ તરીકે પણ કામ કરે છે.છેલ્લા બારેક વર્ષથી તેઓ અક્ષરો માટે કામ કરી રહયા છે. ડો. શાહનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમનો ઉછેર, અભ્યાસ બધ જ અમદાવાદમાં થયું છે. તેમના વડિલો મૂળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકના સુજાપર ગામના હતા. ડો. રાજુલ કચ્છમાં જન્મ્યા નથી, રહયા નથી તો તેઓ કઇ રીતે કચ્છી ભાષાની લિપિ તૈયાર કરી શકયા? તેમને કેવી કેવી મુશ્કેલીઓ પડી? આ વિશે ડો.શાહ અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ મારા ધરમાં વાતચીત કચ્છી બોલીમાં જ થતી. હું ભલે કચ્છમાં રહી નથી છતાં દૂર રહીને પણ હું કચ્છને ભુલી નથી. મારીશબ્દો સાથેની જ પ્રવૃતિ છે. હું હેન્ડરાઇટીંગ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ કામ કરુ છુ. એટલે મને સતત એવુ થતું કે મારી પોતાની કચ્છી બોલીની જ કેમ ભાષા નથી? એ વાત મને સતત ખૂંચતી. મારે મારી ભાષાની લિપિ વિકસાવવી છે આવુ મને વર્ષો પહેલા થતું અને છેલ્લા બારેક વર્ષથી હું કચ્છી ભાષા વિશે કામ કરી રહી છુ. આ માટે હું કચ્છના તમામ વર્ગના લોકોને મળી છુ. ગામડાઓમાં પણ રહી છુ. કચ્છી છુ છતાં મારી ઓળખ માટેના શબ્દો નથી. કચ્છી બોલીને જ લખવા માટે ગુજરાતીનો સહારો શા માટે લેવાય છે ? અને એટલે જ મેં જે શબ્દો બોલી શકાય છે તે લખાવા પણ જોઇએ તેવુ નકકી કર્યુ. ર્ ર્ ડો. શાહે પોતાના સ્વ હસ્તે લખેલી કચ્છી ભાષાની દેશી હિસાબની બુકલેટ તૈયાર કરી છે. તેમણે તૈયાર કરેલી ભાષાનું માળખુ ચિત્રના સ્વરુપમાં રહેશે. અત્યાર સુધી ચાઇનીઝ, કોરિયન ભાષામાં પણ લખાણના બદલે ચિત્રોનો ઉપયોગ થાય છે, તેવું જ કચ્છીમાં રહેશે. અક્ષરોનું જે ફોર્મેશન હતું તે જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે. કચ્છી બોલીની કચ્છી ભાષામાંં પરિવર્તીત કરાતા કેન્દ સરકારના લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી મળી ગઇ છે. આમ નવી દિલ્હી સ્થિત કોપીરાઇટસ ઓફિસ તરફથી પણ તેમની લિપિ માટે કોપી રાઇટ મળી ગયા છે. પુરાતનકાળથી અત્યાર સુધીમાં ભારત દેશ પાસે લખવા માટે માન્ય ગણી શકાય તેવી ર૬ લિપિ છે. આ સાથે ર૭મી લિપિ વિકસી છે એમ ડો. શાહ કહે છે. ગુજરાતી ભાષાલિપિ વચ્ચે ઘણું અંતર હોવા છતાં અત્યાર સુધી કચ્છી લોકોએ ગુજરાતી પર જ નિર્ભર રહેવું પડતું હતું. કેમકે કચ્છનો ઈતિહાસ અને સાહિત્ય ગુજરાતી લિપિમાં અંકિત થયો છે. ડો. શાહ પોતે હસ્તાક્ષરશાસ્ત્રી છે. તેમણે વિકસાવેલી ચિત્ર લિપિ જેવી ભાષા ભારતમાં કયાય નથી. કચ્છના લોકોની માનસિકતા સાથે તેમણે પોતાની લિપિ વિકસાવી છે. અક્ષરો જેતે ફોર્મેટના સાઇકોલોજિકલ જોડાણ મુજબ ગોઠવાશે. ૧રમી સદીમાં અક્ષરોનું જે ફોર્મેશન હતુ તે જાળવવાની કોશીશ ડો. શાહે કરી છે. કોઇ પણ ભાષા પ્રથમવાર લખાઇ હોય ત્યારે તે ચિત્રાંકિત હોય છે.તે એક અજયબી વાળી વાત છે. ડો. શાહે કચ્છી ભાષા પણ ચિત્ર શૈલીમાં તૈયાર કરી છે. તેના કેટલાક ઉદાહરણો જોઇએ. કચ્છી લિપિનો પ્રથમ અક્ષર ર્ કર્ ને હળના પ્રતિકમાં ઢાળવામાં આવ્ય છે. જયારેર્ રર્ ને રથ તરીકે વર્ણવાયો છે. અને ત્રણ વર્તુળ દોરવામાં આવ્યા છે. નાનો વર્તુળ નીચે અને મોટો ઉપર હશે.ગુજરાતી લિપિમાં જેટલા અક્ષર હોય છે તેનાથી પાંચ અક્ષર તેમની વિકસાવેલી લિપિમાં ઓછા હશે. કેમકે આ પાંચ અક્ષર કચ્છીમાં બોલાતા નથી. કચ્છી લિપિ માટે કચ્છના ખૂણે ખૂણે ફરનાર ડો. શાહને કચ્છી ભાષા માટે કેવો આવકાર મળયો હતો? એ વિશે તેઓ કહે છે, ર્ ર્ હું જયાંજયાં કચ્છી સમુદાયને મળી છુ, ત્યાં લોકોએ મારા કાર્યને આવકાર આપ્યો છે. અને તેઓ અનેક પેઢીઓથી જે બોલી બોલતા આવ્યા છે તેને પોતાની જ લિપિમાં લખવા માટે પણ તેઓ આતુર છે. ર્ ર્ કચ્છી સમુદાય અને વિવિધ કચ્છી ટસ્ટો અને શૈક્ષણિક સંસ્થાઓ દારા તેમની લિપિને આવકારાય છે. તેમના પ્રયાસને બિરદાવાયો છે. તેમણે જે લિપિ વિકસવી છે તેમાં લખાયેલા પુસ્તકો ટૂંક સમયમાં પ્રકાશીત થશે. કચ્છી ભાષામાં લોકો અભ્યાસ કરે તેવું ડો. શાહનુ સપનુ છે. ગુજરાતીભાષામાં લખાયેલ કચ્છના ઇતિહાસને પણ તેઓ કચ્છી ભાષામાં ભાષંતરિત કરવા માંગે છે. સુકી ધરતી જેવી કે કચ્છ, રાજસ્થાન વગેરે બીજી ભાષા ઉપર આધારીત છે. હવે તેમનો બીજો પ્રયાસ રાજસ્થાની ભાષા શોધવાનો છે. તેઓ પોતાની આ શોધને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં નોંધાય તેવી પણ ઇચ્છા રાખે છે. ડો.શાહ શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના છે. તેમની જ્ઞાતિની સંસ્થાઓ પણ તેમના પ્રયાસથી ખુશ છે. તેઓ જ્ઞાતિ અને શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી કચ્છી ભાષાનો પ્રસાર કરવા માગે છે. કચ્છી લિપિ વિશે કચ્છના જાણીતા કટાર લેખક, કવિ અને કચ્છ સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ જયંતિ જોષી અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ મારા મતે ડો.રાજુલ શાહની કચ્છની જે લિપિ છે તે જૂના જમાનાની ચિત્ર લિપિ છે. તે માણસ સુસંસ્કૃત બને તે પહેલાની લિપિ હોય છે તેવી છે એટલે આજના સમયમાં આ ભાષા પોપ્યુલર ન બની શકે. બીજુ એકે આજ અંગ્રેજીના વધતા વ્યાપની સામે સિંધિ, ગુજરાતી સહિતની ભાષા સામે પણ ખતરો છે. ત્યારે આ ભાષા પોપ્યુલર ન થઇ શકે. અને કચ્છની ભાષા પહેલી વખત અસ્તિત્વમાં આવી છે તેવું નથી. નલિયાની લાલજી નામજી વકિલ નામની વ્યકિતએ પણ કચ્છી ભાષા વિકસવવા પ્રયઌ કર્યા હતા.ર્ ર્
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment