હિંદી સિરિયલના સફળ લેખકો ગુજરાતી સિરિયલ તરફ વળયા
ગુજરાતના અનેક લોકો હિંદી ફિલ્મો અને ટીવી ક્ષેત્રે કામ કરે છે. અનેક સફળ થયા છે. જેમાં અરુણા ઇરાની, આશા પારેખ, પરવીન બાબી સહિતના કેટલાક જાણીતા કલાકારો છે જ પણ અભિનય સિવાયના ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓએ સારુ કાઠુ કાઢયુ છે. ઇન્દકુમાર સહિતના નામી ડાયરેકટરો પણ ગુજરાતી છે. સામાન્ય રીતે હિંદી સિરિયલના સફળ લેખકો કે નિર્દેશકો પોતાના ક્ષેત્રે જ કામ કરતા હોય છે. પરંતુ આપણે અહીં વાત એવા લેખકો અને દિગ્દર્શકની કરવાની છે જે હિંદી ફિલ્મો અને સિરિયલમાં અપાર સફળતા મેળવ્યા પછી પણ પોતાના ગુજરાતીપણાને ભુલ્યા નથી. જેઓએ પ્રથમ વખત ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ કરી પોતે ગુજરાતી ટીવી ક્ષેત્રે કંઈંક નોખુઅનોખુ આપવા માંગે છે.હિંદી સિરિયલોના જાણીતા લેખક રાજેષ જોષીએ ગુજરાતીમાં કશુંક નવું કરવાની આશા સાથે ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મસના પૂર્વ સીઇઓ રાજેશ પવિત્રન સાથે મળીને કર્યુ છે. જયારે રિત રિવાજ સિરિયલના ડાયરેકટર અને વાર્તાકાર છે હિંદી ફિલ્મ અને સિરિયલોના ડાયરેકટર ચિન્મય પુરોહિત.રાજેષ જોષીએ કયુ કી સાસભી કભી બહુથી, કોશીષ એક આશા, કુસુમ, સારથી, કોઇ અપના, ભાભી, કુસુમ, તીન બહુરાની, રહે તેરા આશિર્વાદ, પવિત્ર રિશ્તા, બંદિની સિરિયલો લખી અપાર લોકચાહના મેળવી છે. રાજેષ જોષીના મિત્ર એવા ચિન્મય પુરોહિતે કયા કહેના, લવેરિયા, હમ તો મહોબત કરેગા ફિલ્મના એસોસિએટ ડાયરેકટર રહી ચૂકયા છે. અને કસોટી જિંદગી, ચાચા ચૌઘરી, શાકા લાકા બમ બમ, કૌન અનાડી કૌન ખિલાડી, મિસિસ માધુરી દિક્ષિત સિરિયલ ડિરેકટ કરી છે. રાજેષ જોષી અને ચિન્મય પુરોહિત બંને મિત્રો હિંદી સિરિયલ અને હિન્દી ફિલ્મો ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બહુ ચાલતી નથી ત્યારે આ બંને યુવા સર્જકોએ ગુજરાતી સિરિયલ રિતરીવાજ બનાવવાનું કઇ રીતે નકકી કર્યુ તે વિશે જાણીએ. રિત રીવાજએ સદીઓ પુરાણા દરબારગઢના દરબારોની આ રાજગાથા છે. ગોંડલના નયનરમ્ય વનરાજીમાં આવેલ ત્રણ પેલેસ(હમ દિલ દે ચૂકે સનમનું શુટીંગ જયા થયું હતુ) માં આ સિરિયલનું શુટિંગ ચાલી રહયુ છે. સૌ પ્રથમ રિત રીવાજ સિરિયલના ઓગણપચાસ વર્ષીય નિર્માતા રાજેષ જોષીએ અભિયાનને આપેલ મુલાકાત વિશે જાણીએ. રાજેષ જોષી મૂળ રાજકોટના જ. તેમના મમ્મી અમદાવાદના અને પિતા મનસુખ જોષી જૂનાગઢના. ગુજરાતમાં નાટક અને સંશોધનના ક્ષેત્રે મનસુખભાઇ જોષીનું નામ ખૂબ જાણીતું. એટલે રાજેષ જોષીને અભિનયનનો માહોલ બચપણથી મળયો હતો. રાજેષભાઇનો ઉછેર મુંબઇમાં થયો હતો. કોમર્સ ગ્રેજયુએટ અને સીએના અભ્યાસ બાદ પણ તેમણે સર્જનાત્મક ક્ષેત્રની પસંદગી કરી. તેમણે કૌટિલ્ય, કરો કંકુના, હસતા રમતા, સાવ અચાનક, મને ભીંજવે તુ, ચાલ રિવર્સમા જઇએ, ચકવર્તી, પપા પધારો સાવધાન, સુર્યવંશી વગેરે નાટકો ડિરેકટ કર્યા. ત્યારબાદ બાલાજી ટેલિફિલ્મસમાં જોડાઇ કયુ કી સાસભી કભી બહુથી સિરિયલ લખી. આ સિરિયલે રાજેષભાઇને અપાર લોકચાહના અપાવી. આ સિરિયલના શરુઆતના ૮૦૦ એપિસોડ તેમણે લખ્યા. આ ઉપરાંત બાલાજી ટેલિફિલ્મસની જ કોશીષ એક આશા, કુસુમ, સારથી, કોઇ અપના, ભાભી, કુસુમ, તીન બહુરાન, રહે તેરા આશિર્વાદ સિરિયલો લખી. હાલમાં તેઓ પવિત્ર રિશ્તા, બંદિની સિરિયલો લખી રહયા છે. હિંદી સિરિયલના લેખન ક્ષેત્રમાં અતિ સફળતા મેળવીને અતિ વ્યસ્ત શેડયુલમાં રાજેષ જોષીને ગુજરાતી સિરિયલનું નિર્માણ કરવાનો વિચાર કેમ આવ્યો? આ વિશે તેઓ અભિયાન સાથેની રુબરુ મુલાકાતમાં કહે છે, ર્ ર્ હિંદી સિરિયલમાં ઘણુ બધુ લખતા હોવા છતાં ગુજરાતી માટે કશું કેમ નથી કરતા? એવી ટકોર મિત્રો અને સ્નેહીજનો અનેક વખત કરતા. અને મને ખુદને પણ ગુજરાત માટે કશુક કરવાની ઇચ્છા હતી. અને એટલે ગુજરાતની મૂળ વસ્તુ રિત રિવાજ, નિયમો વિશેનો વિષય ઉપર અમે સિરિયલનું નિર્માણ કર્યુ. જેમાં સ્ત્રીના શોષણ સહિતની અનેક બાબતોની આસપાસ અમારી કથા ઘુમી રહી છે. કાઠિયાવાડ બેઇઝ સ્ટોરી અમે પસંદ કરી. જે આપણુ પોતિકુ છે. જેમાં સ્ત્રીઓનું પ્રતિબિંબ છે, વિચાર છે. પ્રોડયુસર તરીકે મને આ વિષય ચેલેંજીગ લાગ્યો. અને એટલે અમે તેનું નિર્માણ કર્યુ.ગુજરાતી ફિલ્મોનો પડતીનો દોર ચાલી રહયો છે, સિરિયલો પણ બહુ લોકપ્રિય નથી બની શકતી ત્યારે મેગા બજેટની રિત રીવાજ સિરિયલનંુ નિર્માણ કરીને તમે જોખમ નથી લઇ રહયા? અભિયાનના આ સવાલના જવાબમાં રાજેષભાઇ કહે છે, ર્ ર્ હા, એ વાત સાચી. પણ નદીનું વહેણ સીધુ ચાલતુ હોય ત્યારે બધા તેને અનુસરીને ચાલતા હોય છે. પરંતુ વહેણ કયાક અલગ જગ્યાથી પણ ફુટી નિકળતુ હોય છે. અને લોકો તેને પસંદ કરી બેસે છે. અમે પણ એ જ ટેન્ડને અનુસર્યા છીએ. લેટસ વી ટય. બંદિની પણ ગુજરાતી કથાવસ્તુ આધારિત હિંદી સિરિયલ છે. તેવું જ કયુ કી સાસભી કભી થી નું હતું. તો પછી ગુજરાતમાં ગુજરાતી વસ્તુને લઇને શું કામ આગળ ન વધાય. આ વિચારથી અમે આગળ વધ્યા છીએ. ભવિષ્યમાં જયારે પણ તક મળશે ત્યારે અમે અન્ય ગુજરાતી પ્રોજેકટ વિશે વિચારીશુ.ર્ ર્ રિત રીવાજએ પ્રયોગશીલ સિરિયલ છે. તેમાં ટિપિકલ સિરિયલો જેવા સાસુવહુના ઝઘડા, કોલેજ લાઇફ જેવી ચીલાચાલુ વાતો નથી. તે આપણા ગુજરાતી રાજ પરિવાોરોની સાથે જોડાયેલા જીવનની કથા છે. રિત રીવાજની નવતર કથાવસ્તુ, કથનશૈલી અને ઉચ્ચકક્ષાની સિનેમેટોગ્રાફીના અસબાબવાળી સામાજિક શ્રેણીમાં દરબારગઢના દરબારોની રાજસીગાથા છે.રિત રીવાજની વાર્તા ચિન્મય પુરોહિતે લખી છે, સિરિયલના ડિરેકટર પણ પોતે જ છે. ચિન્મય પુરોહિત મૂળ અમદાવાદના. ત્યાં જ અભ્યાસ અને ઉછેર કર્યો છે. થિયેટર પ્રત્યે તેમને બાળપણથી જ રુચી. અમદાવાદનું ચંદમૌલી થિયેટર પણ તેમનું છે. માત્ર ર૪ વર્ષની ઉંમરે જ તેમણે અનેક નાટકો ડિરેકટ કર્યા. આમાના કેટલાક નાટકોએ ગુજરાત સરકારના એવોર્ડ મેળવ્યા. ત્યારબાદ ગુજરાતનું ફિલ્ડ તેમને નાનું પડતા તેઓ ૧૯૯૬માં મુંબઇ જઇ ફિલ્મ ઇન્ડસ્ટી જોઇન કરી. તેઓએ હિંદી ફિલ્મના ડિરેકટર કુંદન શાહના એસોસિએટ ડાયરેકટર તરીકે કામ કર્યુ. તેમણે એસોસિએટ ડિરેકટર તરીકે કયા કહેના, લવેરિયા(એબીસીએલ કંપનીની), હમ તો મહોબત કરેગા ફિલ્મ કરી. ત્યારબાદ તેમણે ટેલિવિઝનાક્ષેત્રે પર્દાપર્ણ કર્યુ. કસોટી જિંદગી કી, ચાચા ચૌધરી, શાકા લાકા બમ બમ, કૌન અનાડી કૌન ખિલાડી, મિસિસિ માધુરી દિક્ષિતને ડિરેકટ કર્યા.ગુજરાતીમાં તેમણે ચાલ મારી સાથે ઓ જિંદગી, ઓ મહારાણી, વારસો, શુભઘડી સિરિયલ ડિરેકટ કરી. ત્યારબાદ તેઓે ઇન્ટરનેશલ ફિલ્મ સ્કોટલેન્ડ એકસપ્રેસ માટે બે વર્ષ વિદેશ રહયા. તેમાં પણ અનેક એવોર્ડ મેળવ્યા. આ દરમિયાન તેમણે ગુજરાતી ટીવી ક્ષેત્રે કશુક નવંુ કરવા માટે તેમના સપના સમી રિત રીવાજ સિરિયલની વાર્તા તૈયાર કરી, ડિરેકટ કરી. સાડત્રીસ વર્ષીયચિન્મય પુરોહિત અભિયાનને કહે છે, ર્ ર્ રાષ્ટીય ચેનલોમાં રિજિયોનલ થીમના આધારે બાલિકાવધૂ સહિતની સિરિયલો પ્રસારિત થઇ રહી છે. કયુ કિ સાસ ભી કભી બહુ થી પણ ગુજરાતી પરિવારની ગાથા હતી. ટપુડો પણ ગુજરાતી લેખકની કથા છે. ગુજરાતી કથા જો હિંદી ચેનલો ઉપર લોકપ્રિય થઇ શકતી હોય તો પછી શું કામ ગુજરાતી ચેનલ ઉપર ગુજરાતી કથા વસ્તુ આધારિત શ્રેણી પ્રસારિત નથી થઇ શકે. થોડા વર્ષો સુધી જો સારા પ્રોગ્રોમ ગુજરાતી ચેનલો ઉપર પ્રસારિત થાય તો શકય છે કે બીજા વધુ સારા પ્રોગ્રામો બનતા થશે. અને અમારો એ દિશામાં જ આ એક પ્રયાસ છે.ર્ ર્ ચિન્મય પુરોહિતની વાર્તાના સંવાદો હિંદીગુજરાતી સિરિયલોના પીઢ અભિનેતા અને લેખક મૂળરાજ રાજડાએ લખ્યા છે. શ્રેણીનું દિગ્દર્શન હર્ષદ જોશી કરે છે. આ સિરિયલમાં જાણીતા કલાકારો દિપક ઘીવાલ, ભરત ઠકકર, અરવિંદ વૈધ, વિભૂતી ત્રિવેદી, બકુલ ઠકકર, સોનિયા મહેતા સહિતના કલાકારો કામ કરી રહયા છે. ગોંડલમાં આ સિરિયલનું શુટીંગ ચાલી રહયું છે. ઇ ટીવી ઉપર ટૂંક સમયમાં આ શ્રેણી પ્રસારિત થશે.
Saturday, August 29, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment