અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટસ્ટોરી ઃ કચ્છી કલા અને લોક ઇજનેરી કૌશલ્યનો અદભુત નઝારો ભુંગા
દરેક પ્રદેશ અને વિસ્તારની આગવી સંસ્કૃતિ અને આગવી કલા હોય છે. દક્ષિણ ભારતના રાજયોના નૃત્યો, બંગાળમહારાષ્ટના સંગીત અને સાહિત્ય, ગુજરાત રાજસ્થાનના ગરબા, ઉતર પ્રદેશમાં હોળી અને પંજાબહરિયાણામાં વૈશાખી જેવા તહેવારો ઉપરાંત અનેક પ્રકારની આગવી વિશિષ્ટતાઓ છે. ભારત દેશમાં જે સૌથી મોટો જિલ્લો છે તે કચ્છ જિલ્લો પશ્ચિમ ભારતના રણકાંઠાનો વિસ્તાર છે. અહીં જીવન ઘણું વિષમ છે. વરસાદ સાવ ઓછો, ઉનાળામાં ભયંકર તાપ અને શિયાળામાં સખત ઠંડી રોજીરોટી માટે ખેતી સહિત અનેક ટાંચા સાધનો છે.કચ્છની આવી જ એક આગવી વિશિષ્ટતા છે ભુંગા. ભુંગા એટલે ગારમાટીના બનેલા ઝૂંપડા. પણ આપણા દેશી ઝૂંપડા અને કચ્છના ભુંગામાં બહુ મોટો તફાવત છે. ભુંગા ભલે ગારમાટી અને વાંસના બનેલા હોય પણ તેને ઝૂંપડા તો હરગીઝ નહીં જ કહી શકાય.આ ઝૂંપડાનો આકાર ગોળ છે. તેની દિવાલો અંદર અને બહાર ગારમાટી અને વાંસની બનેલી છે. જયારે છત વંાસ, ઘાસ અને માટીની બનેલી છે. આ ભુંગાની બનાવટમાં એવું ઇજનેરી કૌશલ્ય વાપરવામાં આવ્યું હોય છે કે તેમાં કચ્છના સખત ઉનાળામાં ૪૬ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં પણ ભુંગાની અંદર બફરો નથી લાગતો પણ ઠંડક લાગે છે. જયારે શિયાળામાં બે અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને પણ અંદર હુંફાળુ વાતાવરણ હોય છે.ભુંગામાં રહેતી સ્ત્રીઓ દર વખત દિવાળી પહેલા ભુંગાની અંદર અને બહારની દિવાલો પર જુની ગાર માટીને ઉખેડીને નવેસરથી ગાર લગાવે છે. ગાર સુકાઇ જાય એટલે અંદરના ભાગે સુશોભન, રંગોળી, ચિત્રો અને ડિઝાઇનો દોરે છે. આ કલાની બધી કૃતિઓ કોઇ લપેડા નથી હોતા પણ ઉચ્ચકક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવા કલાના ઉચ્ચ નમૂના હોય છે.આ ભુંગાઓ ખાસ કરીને કચ્છના રણના બણી વિસ્તારમાં વધુ જોવા મળે છે. ભુંગા તો વર્ષો પહેલા હાલના માલિકોના વડવાઓએ બનાવેલા હોય છે. તેનું દરેક વરસે નવીનીકરણ અને રંગરોગાન થાય છે.ભુંગામાં રહેતા પરિવારની સ્ત્રીઓ જેઓ મોટાભાગે જત લોકો હોય છે તેઓ ભરતગુંથણની કલામાં માહેર હોય છે. તેઓ ભરતકામમાં એવા અદભુત નમુના બનાવે છે કે ઘણીવાર તો કાપડના એક ટુકડા ઉપર એક આખુ વર્ષ ભરત કામ ચાલે.ભુંગાની અંદરની દિવાલો આભલા અને કાચના ટુકડા લાગવાયા હોય છે. તેથી ભુંગામાં પ્રવેશતો કુદરતી પ્રકાશ અનેકગણો વધુ થાય છે. વળી ભુંગામાં વાંસના ઉપયોગથી ઘટતી ચીજવસ્તુઓ રાખવાની જગ્યા ઉભી કરાય છે.કચ્છના એક ભુંગામાં રહેનાર એવોર્ડ વિજેતા એવા માયા મારવાડીએ તો માટીનું ફીજ બનાવ્યું છે કે જેમાં પાણીથી માંડી અનેક ચીજ વસ્તુઓ દિવસો સુધી ઠંડી રહે છે. તેનો પણ હવે ઘણા લોકો ઉપયોગ કરે છે.ભુંગા વિષેની અદભુત વાત તો એ છે કે ર૦૦૧ના કચ્છના ભૂકંપમાં જયારે કચ્છના ૯પ ટકા એટલેકે મોટાભાગના મકાનો રહેણાંક અને બિલ્ડીંગોને અસર થઇ હતી. હજારો મકાનો પડી ગયા હતા. અને સેંકડો માનવી મૃત્યુ પામ્યા હતા ત્યારે કચ્છનો એકપણ ભુંગો પડયો નહોતો. અને કચ્છના ભુંગામાં રહેનાર કોઇ પણ માણસ ઇજા પામ્યો નહોતો. કચ્છમાં ભુકંપ પછી ધોરડો(રણ)માંતો બધે જ ભુંગા બન્યા હતા. ભુંગા એટલે ઝૂંપડા સામાન્ય રીતે લોકો આવું વિચારતા હોય છે. પરંતુ એવું નથી. હવે તો ડિઝાઇનીંગ અને કાલાત્મક ભુંગાઓ બની રહયા છે. કચ્છમાં આવતા વિદેશીઓ પણ હોટલમાં રહેવા કરતા ભુંગામાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. અરે, કેટલીક ફાઇવસ્ટાર હોટલો ભુંગામાં જ બનાવાઇ છે. ધોળાવીરા કે જે હડપ્પીય સંસ્કૃતિ માટે જાણીતી છે ત્યાં ૧૧ ભુંગા વાળી અધતના હોટલ છે. જમવા માટે ડાઇનીંગ હોલ માત્ર સિમેન્ટનો છે. કચ્છના પશ્ચનના હોડકા ગામે તથા ભુજ પાસેના રુદમાતાના મંદિર પાસે પણ ભુંગામાં હોટલ બનાવાઇ છે.કચ્છના રણનો ભારે પવનો, વાવાઝોડા, સખત તાપ અને ભયંકર ઠંડીમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ભુંગા એ કચ્છી લોકઇજનેરીના કૌશલ્યનો અદભુત નમુનો છે.ભુજના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા ગિરિરાજસિંહ સોઢાના વતન પ્રાન્ધ્રો અને રોહ સુમરીમાં ભુંગા આવેલા છે. તેઓ અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ અમારા ભુંગા ૩પ વર્ષ પહેલા બનાવાયા હતા. ભુંગા એ નેચરલ એરકન્ડીશન છે. તમે ભર ઉનાળે એસીમાં રહો અને ત્યારબાદ ભુંગામાં રહો તો તેનો તફાવત ખબર પડે. ભુંગાની કિંમત સમજાય. અને ભુંગા ઉપર એક ડાલ પાણી નાખવામાં આવે અને જે શીતળતાઆહલાદકતા અનુભવાય તે માણીઓ તો જ ખબર પડે. જોશે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ભુંગાનું પ્રામાણ વધુ છે.ર્ ર્ ધોળાવીરા ગામે રહેતા અને ત્રીસ વર્ષથી ભુંગા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લાલાભાઇ સંજોડ કહે છે, ર્ ર્ર્ આટલા વર્ષોમાં મેં ૬૦૦ જેટલા ભુંગા કચ્છ ઉપરાંત ગુજરાતભરમાં બાનાવ્યા છે. ભર ઉનાળે ફીજની ગરજ નસારે તેવું કામ ભુંગાનું છે. સામાન્ય રીતે એક ભુંગો બનાવવામાં ૭૦ થી ૮૦ હજારનો ખર્ચ થાય. છથી સાત વ્યકતીની ટીમ મળીને વીસેક દિવસની અંદર ભુંગા તૈયાર કરી આપતા હોય છે. આમકાન કરતા ભુંગા સસ્તા પડે. પછી વધુ ડેકોરેટ કરવો હોય તો ખર્ચ વધી જાય ખરો. ભુંગાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ભુકંપ પ્રુફ છે. કચ્છના ભૂકંપમાં ભુંગાને કોઇ નુકશાની નથી થઇ. હા મકાન કરતા ભુંગાની આવરદા થોડી ઓછી હોય છે. તેની થોડા વખત પછી કાળજી પણ લેવી પડે ખરી.ર્ ર્ ર્ર્ર્ હવે તો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં શહેરી વિસ્તારોમાં પણ ભુંગામાં બહેવાનો કેઝ વધ્યો છે. મેં કચ્છ ઉપરાંત વાપીમાં ૭, વલસાડમાં ૩, ઉપલેટામાં પ ભુંગા બનાવ્યા છે. વલસાડના એક મોટા વેપારીએ પોતાની વાડીમાં ભુંગો બનાવડાવ્યો હતો. મોરીખડમાં ગોપાલભાલ નામના શિક્ષકની વાડીમાં પણ ભુંગો બનાવ્યો છે. તો રાપર તાલુકાના એક દરબાબરની ફેકટરીમાં ભુંગો બનાવ્યો છે. મેં ૪૦ જેટલા લોકોના બંગલાની અગાસીમાં ભુંગા બનાવ્યા છે. ભુંગાની વિશિષ્ટ રચના જોઇ બેત્રણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટેલિયના સંશોધનકારો અને લેખકો પણ અમારી પાસે ભુંગા વિશે માહિતી લઇ ગયા હતા. ર્ ર્ એક ભુંગામાં ૪ બેડ સમાઇ શકે. આઉપરાંત રસોડુ બાથરુમ વગેરેનો પણ સમાવેશ થાય છે. કચ્છમાં ર૦૦૧ના ભૂકંપ પછી તે વખતની કેન્દ સરકાના નેતા પ્રમોદ મહાજને ધોળાવીરામાં એક મકાન અને એક ભુંગા બનાવવાની જાહેરાત કરી હતી. ભુંગા માટે થોડી જગ્યા વધુ જોઇએ. એટલે ગ્રામ્ય વિસ્તારમાં વધુ જગ્યા હોવાથી ત્યાં ભુંગાની સંખ્યા વધુ હોય છે. રાજકોટની સૌરાષ્ટ યુનિવર્સિટીન પૂર્વ કુલપતિ અને મૂળ કચ્છના વતની સિંતાસુ યશશચંદએ સૌરાષ્ટ યુનિવર્સિટીમાં પણ વર્ષો અગાઉ ભુંગો બનાવ્યો હતો. જોકે યુનિવર્સિટી ઉંચાઇ ઉપર હોવાથી ભુંગો વધુ સમય નહોતો ટકી શકયો. કચ્છના રણ વિસ્તાર બણી, લખપત, ઘોળાવીરા, દિનારા, ગાંધીનગર, રાપર વગેરે અનેક ગામો અને શહેરોમાં કચ્છની કલા અને ઇજનેરી કૌશલ્યનો નજારો જોવા મળે છે. આ પરંપરાગત કલા જળવાઇ રહે કચ્છવાસીઓની નેમ છે. જોકે આ ભુંગાઓનો કેટલી સંખ્યામાં છે તેનો કોઇ પધ્ધતિસરનો સર્વે હાથ નથી ધરાયો તેવું કચ્છ જિલ્લા પંચાયતના મદદનીસ આંકડા અધિકારીએ કહયુ હતું. જયારે ભુંગાઓ અંગે કોઇ રિસર્ચ પણ હજુ સુધી હાથ ન ધરવામાં આવ્યુ હોવાનું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. કાન્તી ગોરે અભિયાન સાથેની વાતમાં કહયુ હતુ.
Wednesday, August 19, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment