Saturday, August 29, 2009

ડાયાબિટિક ફુટ સર્જને મોચીને મદદનીશ બનાવ્યો ઃ ડાયાબિટિસના દર્દી માટે ડાયાબિટિક પગરખા બનાવતા મોચીકોઇ ડોકટર સર્જન પોતાની પાંચ માળની હોસ્પિટલમાં એક આખો ફલોર પગરખાનો એટલે કે ડિઝાઇનીંગ ફુટવેરનો રાખે તો આશ્ચર્ય સાથે અચરજ થાય જ. પણ સાથો સાથે માગણી મુજબના પગરખા કે ફુટવેર માટે મોચી પણ હોય અને તે પણ પાંચ વર્ષથી તો લોકોને તેના વિશે વધારે કુતુહુલ થાય.ડાયાબિટિસના દર્દીઓને સૌથી મોટુ જોખમ પગનું હોય છે. ડાયાબિટિસના દર્દીને પગમાં રસી થઇ જવાનો સૌથી વધુ ભય હોય છે. રસી થાય એ દર્દીનો પગ કપાવ્યા સિવાય છુટકો જ નથી હોતો. આ ડાયાબિટિસનું સૌથી મોટુ જોખમ છે કારણ કે તે કયારે થાય તે ખબર જ નથી પડતી. તેના માટે સતત પગની સંભાળ લેવા ઉપરાંત પગમાં યોગ્ય પ્રકારના ડાયાબિટિક પગરખા પેરવા પડે છે. આવા ખાસ પ્રકારના પગરખા બનાવવા પડે છે.ભારતમાં ચારથી પાંચ જ ડાયાબિટિક ફુટ સર્જન છે તે પૈકીના એક એટલે રાજકોટના ડો.વિભાકર વછરાજાની. આ ડોકટર પગની સારવાર અને ઓપરેશન ઉપરાંત પોતાની હોસ્પિટલમાં એક આખો માળ એક મોચીને આપી દીધો છે. અભણ મોચીની પાસે ડાયાબિટિસના દર્દીઓ માટેે ખાસ પ્રકારના ડાયાબિટિક પગરખા બનાવડાવામાં આવે છે. જે ભારતમાં કોઇ ડોકટર કરતા નથી. વિદેશી ડોકટરો પણ આ સેન્ટરન ખાસ મુલાકાતે આવી ચૂકયા છે. ભારતમાં અને ગુજરાતમાં ડાયાબિટિક ફુટ પેશન્ટ માટે રનિંગમાં પહેરવાના ફુટવેરનો કોન્સેપ્ટ ડો.વછરાજાનીએ ડેવલપ કર્યો છે. સામાન્ય રીતે ડાયાબિટિસ બહુ જ જાણીતો રોગ છે. ર૦૦પની સાલ સુધીમાં એક અંદાજ પ્રમાણે ર૦ થી ૩૦ ટકા લોકો ડાયાબિટિસના રોગથી પિડાતા હતા. ડાયાબિટિસના ૧પ ટકા દર્દી ને તેમના જીવનકાળદરમિયાન પગના ઘારા થાય છે. તેમાંથી ૧ ટકા દર્દીના પગ કાપવા પડે છે. ૩૦ ટકા લોકોને પગમાં એકથી વધુ વખત પગમાં રસી થાય છે. અને વારંવાર ઓપરેશન કરાવવુ પડે છે. ડાયાબિટિસથી થતાં રોગથી થતી આડઅસર વિશે લોકો માહિતગાર હોય છે પણ તેનાથી પગમાં થતા સડા વિશે લોકો તેટલા જાગૃત નથી હોતા. જો તેને સમયસર ન અટકાવી શકીએ તો પગ કાપવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ડાયાબિટિક ફુટસર્જન ડો.વિભાકર વછરાજાનીને પોતાની હોસ્પિટલમાનો એક આખો ફલોર મોચીને આપીને ફુટ કેર કલીનીક બનાવવાનો વિચાર કેમ આવ્યો? આ વિશે ડો.વિભાકર વછરાજાની અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ ડાયાબિટિસના દર્દીઓને પગમાં તકલીફ થવાના મુખ્ય કારણોમાં મગજના જ્ઞાનતંતુ બહેરા થાય, લોહીની નળી સુકાય જાય, જાણતાઅજાણતા ઇજા પહોંચે, રુઝાવની પ્રકિયામાં થતી ખામી, સુક્ષ્મ જીવાણુઓ દારા હુમલો કે પછી ધારાવાળા ભાગને આરામનો અભાવનો સમાવેશ થાય છે. જમીન ગરમ હોય તો પણ પગમાં તળિયે ઘારા થાય છે. ઘારા હોવા છતા પગ દુઃખતા ન હોવાથી દર્દી ચાલતા રહેતા હોવાથી વર્ષો સુધી તેના ધારા રુઝાતા નથી. યોગ્ય પગરખા પહેરવામાં આવે તો આ દર્દને નિવારી શકાય. પગમાં તકલીફ હોવાથી દર્દીઓ આરામ નથી કરતા હોતા. એટલે તેમના માટે ખાસ પ્રકારના પગરખા બનાવવાનો વિચાર મને પાંચેક વર્ષ પહેલા આવ્યો. લંડન અને શિકાગોમાં મિકેનિકલ પગરખાની ટીટમેન્ટ હતી. ભારતમાં મદાસમાં છે પરંતુ તે ટસ્ટની , સંસ્થાની હોસ્પિટલ છે. પરંતુ વ્યકિતગત રીતે ભારતભરમાં મોચી રોકીને ફુટ કેર યુનિટ શરુ અમે કર્યુ.ર્ ર્ સૌ પ્રથમ ડો. વછરાજાનીએ એક યંગ મોચીને ગાત્યો. તેને સતત સુધી ટેનિંગ આપી. મોચીને ટેનિંગ માટે એક વર્ષ તામિલનાડુ અને ત્રણ મહિના દિલ્હી પણ પોતાના ખર્ચે મોકલ્યા હતા. ડો.વછરાજાનીએ પોતાની હોસ્પિટલનો સૌથી છેલ્લો ચોથો ફલોર મોચીને ફાળવી દીધો છે. કોઇ કલ્પના પણ ન કરી શકે કે અધતન હોસ્પિટલમાં એક પગરખાનો વિભાગ હશે. આ વિભાગને જોઇને એમ જ થાય કે તમે કોઇ પગરખાની દુકાનમાં જઇ પહોંચ્યા છે. ડો. વછરાજાનીના ર૭ વર્ષીય મોચી હિંમત પરમાર ઘો.૧૦ સુધી ભણેલા છે. તેઓ કહે છે, ર્ ર્ પાંચેક વર્ષ પહેલા ડોકટરે મને તેમની હોસ્પિટલમાં રાખ્યો. સામાન્ય રીતે કૃત્રિમ હાથપગ તો બધે ઉપલબ્દ હોય છે પરંતુ ખાસ ડાયાબિટિસના દદીની પગની સમસ્યા માટે બુટ કે સેન્ડલ કેમ ડિઝાઇન કરવા વગેરે વિશેની તાલિમ મને સાયબે આપી છે. કોઇને પગના પાનીની તકલીફ હોય, તળિયાથી આગળના ભાગે તકલીફ હોય વગરે દર્દોને અનુલક્ષીને પગરખાને ડિઝાઇન કરાય છે.ર્ ર્ મટીરીયલ પણ અલગઅલગ જગ્યાએથી મંગાવાય છે. મોચી પગરખા ઉપરાંત મુવેબલ હાથ, બ્રેસ વગરે પણ બનાવે છે.

No comments:

Post a Comment