Wednesday, September 16, 2009

હવામાનશાસ્ત્રીને જયોતિષ માની ખેડૂતો પૂછે છે વરસાદ કયારે આવશે ? કેવો આવશે ?

જરાતમાં પ્રથમ પ્રાઇવેટ વેધર સ્ટેશનની વેબસાઇટ વિકસાવવાનો યશ રાજકોટના અશોકભાઇ પટેલને જાય છે. અશોકભાઇ વેજ્ઞાનિક અને મેટરોલોજીસ્ટ છે. પોતાની ઘરે વેધર સ્ટેશન વસાવી હવામાનના સચોટ આગાહીકાર તરીકે અશોકભાઇ જાણીતા છે. પોતાની વેબસાઇટથી અશોકભાઇ વિનામૂલ્યે લોકોને હવામાનના બદલાવ અંગેની માહિતી આપતા રહે છે. આગાહી કરતા રહે છે. જે ખાસ કરીને ખડૂતોને વધુ ઉપયોગી બની રહે છે. સરકારી સ્તરે હવામાન ખાતા પાસે શ્રેષ્ઠ તકનીકી સાધનો હોવા છતાં છેલ્લામાં છેલ્લી માહિતી લોકો ખેડૂતો સુધી પહોંચતી નથીે ત્યારે અશોકભાઇની હવામાનની સચોટ આગાહીઓ ખેડૂતોને ખૂબ ઉપયોગી નિવડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અશોકભાઇ વેધર એનાલીસ્ટ તરીકે ખાસ્સી નામના મેળવી છે. અખબારોમાં તો તેમના લેખો પ્રસિધ્ધ થતાં જ રહેતા હોય છે. પરંતુ ખેડૂતો માટે તો અશોકભાઇનું નામ ખૂબ જાણીતું છે. અનેક ખેડૂતોના ફોન અશોકભાઇને ત્યાં રણકતા હોય છે અને પૂછી બેસે છે કે વરસાદ કયારે થશે?, આ વર્ષ કેવુ રહેશે? કેટલાક ખેડૂતો કહી બેસે છે કે જયોતિષ મહારાજ આ વખત સારુ ચોમાસુ થશે ને? આમ અનેક વખત લોકો તેમના એનેટિકલ માઇન્ડ અને સાયન્ટીફિક બ્રેકગ્રાઉન્ડથી અજાણ હોય જયોતિષ માની બેસવાની ભુલ કરી બેસે છે. અભિયાને વેધર એનાલિસ્ટ અશોક પટેલને મળીને તેમની હવામાનની આગાહી વિશેની વાતો જાણી તે જોઇએ. છેલ્લા છસાત વર્ષથી અશોકભાઇ વેધર એનાલીસ્ટ તરીકે વધુ જાણીતા થયા છે. ફેબ્રુઆરી ર૦૦૭માં તેમણે અમેરિકાથી વેધર સ્ટેશનની યાંત્રિક સામ્રગી વેધર સ્ટેશન મંગાવી હતી જે તેમની અગાસી ઉપર છે. જેનાથી વરસાદના પરિબળો, પવનની ગતિ, તાપમાન વગેરે જાણી શકાય છે. અગાશી ઉપર રાખેલ વેધર સ્ટેશનના લીધે ઘરમાં વાયરલેસથી ટાન્સર્ફર થઇને એરિયલ વાટે મોનિટરથી કોમ્પ્યુટર સ્કીન ઉપર બધુ જ રેકોર્ડ થયેલું હવામાન જોવા મળે છે. અને ત્યારબાદ તેમણે પોતાની વેબસાઇટ જાતે જ બનાવીને લોંચ કરી. ભારતમાં બેથી ત્રણ પ્રાઇવેટ વેધરને લગતી વેબસાઇટ છે. ભારતની બીજી અને ગુજરાતમાં પ્રથમ પ્રાઇવેટ વેબસાઇટ બનાવવાનું શ્રેય અશોક પટેલને જાય છે. અશોકભાઇની આ વેબસાઇટ અમેરિકાની સી.ડબલ્યુ.ઓ.પી.(સિટિઝન વેધર ઓર્બ્ઝવેશન પ્રોગ્રામ) સંસ્થામાં રજીર્સ્ટડ છે. અશોકભાઇનું મૂળ ગામ કોલકી. કોલ્કીના પંચાયત બોર્ડ ઉપર અશોકભાઇની હવામાનની આગાહીઓ લગાવવામાં આવે જેથી દરેક ખેડૂતો હવામાન વિશેની જાણકારી મેળવી શકે. મૂળ જૂનાગઢના અશોકભાઇએ રાજકોટની રાજકુમાર કોલેજમાં બી. ઇ. કર્યુ. એમ.એસ .(કેમિકલ એન્જિનિયરીંગ) અમેરિકામાં કર્યુ. જૂનાગઢની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે તેલ બનાવે છે તેની સ્થાપના અશોકભાઇના પિતાએ કરી હતી. હાલમાં અશોકભાઇ આ કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર છે. અશોકભાઇને જૂનાગઢમાં ખેતી પણ છે. બિઝનેશમેન પિતાના પુત્ર અને કેમિકલ એન્જિયર એવા અશોકભાઇન વેધર એનાલિસ્ટ તરીકેના કામની શરુઆત કેમ થઇ તે વિશે તેઓ એક મુલાકાતમાં કહે છે, ર્ ર્ અમારો તેલનો ધંધો અને ખેતીવાડી પણ છે. આ બંને વ્યવસાય વરસાદ અને હવામાન આધારિત છે. એટલે પહેલેથી જ હવામાનમાં મને રસ પડે. બેઝિકલી હું સાયન્સનો માણસ એટલે સતત હવામાનને લગતો અભ્યાસ કરતો રહુ અને મારા ખેડૂતોને હવામાન વિશે જણાવતો રહુ. ખેડૂતોને કયારે નિંદામણ કરવુ, ખાતર આપવુ, દવા છાંટવી, સાતી હાંકવી આ બધી વાતો કહુ. વરસાદ પડવાનો હોય તો પિયત ન કરવાનું કહુ જેથી પાણી બચે વગેરે. આ બધી વાતો મારા ખેડૂતો બીજાને કહે કે એટલે તેઓ પણ હવામાનને ધ્યાને રાખી ખેતી કરી શકે. જેમકે વરસાદ આવવાનો હોય તેની અગાઉ આગાહી થઇ હોય તો જીરાના પાકને વરસાદ પડતાની સાથે જ ખેડૂતો જઇને પાણી દૂર કરી શકે. જીરા માટે ઝાકળ ખુબ નુકશાન કારક. જો અગાઉ આગાહી કરી હોય તો ખેડૂતો સમયસર ખેતરે પહોંચી ઝાકળ પોતાના શાલને વાસડામાં બાંધી ઝાકળ ઉપર ફેરવી નાખે છે જેથી જીરુના દાણાને નુકશાન થતુ બચી શકે. આ ત્યારે શકય બને કે ખેડૂત હવામાનની આગાહીઓને સમયસર ફોલો કરે. હવામાનની આગાહીઓ કઇ પધ્ધતિથી કરો છો? આ પ્રશ્નના જવાબમાં અશોકભાઇ કહે છે, ર્ ર્ હું સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દષ્ટિકોણથી જ આગાહી કરુ છું. મારા ઘરે એક લાખના ખર્ચે અમેરિકાથી મંગાવેલ વેધર સ્ટેશન છે. તેમજ અન્ય સરકારી હવામાન ખાતાના અભ્યાસના આધારે તેમન મારા અનુભવ અને વૈજ્ઞાનિક દષ્ટિકોણથી હું વેધરનું એનાલીસીસ કરું છું. વેધર સ્ટેશનની મદદથી ટેમ્પરેચર, વિન્ડસ્પીડ, બેરોમીટર, વરસાદની માપણી વગેરે થઇ શકે છે. આ ઉપરાંત સતત અભ્યાસના પણ હવામાનની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે.ર્ ર્ અશોકભાઇ કયારેય લાંબાગાળાની હવામાનની આગાહી કરતા નથી. તેઓ એક દિવસ, ત્રણ દિવસ, એક સાહ કે મહિનાની આગાહી કરે છે. લાંબી આગાહી નથી કરતા. તેઓ માને છે કે,ર્ ર્ હવામાનની આગાહી ટૂંકાગાળાની કરવી શકય છે. કેમકે થોડા દિવસના હવામાન વિશે તમે અંદાજ બાંધી શકો પરંતુ લાંબાગાળા માટે તે શકય નથી, સચોટ ન નિવડી શકે. ઘણા જયોતિષિઓ વાદળા, પવનનીથ દિશા, હુતાશણીનો પવન(ઝાળ), અખાત્રીજનો પવન વગેરેના આધારે આખા વર્ષના હવામાનની આગાહી કરતા હોય છે મને એવું જ્ઞાન નથી. તેઓના અને મારા પેરામીટર્સ અલગ હોય છે. હું ડેટા કલેકટ ટૂકાગાળાના હવામાનની આગાહી કરુ છુ.ર્ ર્ દરેક જયોતિષ કે આગાહીકાર એવું માનતા હોય છે કે તેમની આગાહી હંમેશા સાચી પડે છે ભલે પછી ખોટી કેમ ન પડતી હોય. અશોકભાઇને જયારે પૂછયુ કે શું તમારી હવામાનને લગતી આગાહી કયારેય ખોટી પડે છે ખરી? નિખાલસતાપૂર્વક અશોકભાઇ કહે છે, ર્ ર્ હા, કયારેક આ હવામાનની આગાહીઓ ખોટી પણ પડે છે, પડી શકે છે. એકબે દિવસની આગાહી ખોટી પડવાની શકયાતા ઓછી છે. ત્રણથી ચાર દિવસમાં પણ થોડી ઓછી શકયાતા છે. જયારે અઠવાડિયા કે મહિનાની આગાહીઓ ખોટી પડે તેવી સંભાવના વધુ રહે છે કેમકે આ પિરિયડ લાંબો હોય છે. તેમાં હવામાનમાં ફેરફાર વધુ થવાની શકયતા છે.ર્ ર્ સરકારી સ્તરે હવામાન ખાતા દારા કેવીક આગાહી કરવામાં આવે છે? તેઓનું તંત્ર કેટલુ સજજ છે? આ વિશે અશોકભાઇ કહે છે, ર્ ર્ ભારતના હવામાન ખાતા પાસે હવામાનના અધતન શ્રેષ્ઠ સાધનો છે. પરંતુ તેના સંકલન અને એનાલીસનો અભાવ જોવા મળે છે. અને ખાસ તો હવામાનની વિગતો ઇન્સેટ ખૂબ જૂના પ્રસારિત કરવામાં આવે છે. જેથી ખેડૂતો મીસગાઇડ થાય છે. આ સૌથી મોટી ખામી ગણી શકાય. ખાસ કરીને ટીવીમાં પણ પ્રસારીત થતાં ન્યુઝમાં હવામાનની લેટેસ્ટ પરિસ્થિતિ રજૂ કરવી જોઇએ. હા, એ વાત સાચી કે હવામાનના વિષયમાં લોકોને બહુ રસ પડતો ન હોવાથી આ વિષયને બહુ ગંભીરતાથી લેવામાં નથી આવતોે.ર્ ર્ અશોકભાઇ હવે સાતેક વર્ષથી રાજકોટમાં રહે છે. તેઓ હવે મોટાભાગનો સમય સામાજિક પ્રવૃતિમાં ગાળે છે. મુંબઇમાં આવેલ એન.સી.ડી.ઇ.એકસના જીરા,ગ્રાઉન્ડન્ટ અને જીએન ઓઇલ પ્રોડકટ કમિટિના સભ્ય છે તેમજ રાજકોટના સિદસર ઉમિયા માના મંદિરના ઓડિટ કમિટિના પ્રેસિડન્ટ છે. ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયની શૈક્ષણિક સમિતિના સભ્ય છે. જૂનાગઢની ત્રણેક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ હોદા ધરાવે છે. અશોકભાઇના પુત્ર અમેરિકામાં છે. તેમના પુત્રએ રાજકોટની રાજકુમાર કોલેજને એક વેધરસ્ટેશનનું દાન કર્યુ છે.