Wednesday, August 19, 2009

અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટ એઇડઝ અને થેલેસેમિયા ટેસ્ટ બાદ જ પરિણય સુત્રથી બંધાતા પોરબંદરના ખારવા સમાજના યુગલો પોરબંદર ખારવા સમાજનું અન્ય સમાજને પ્રેરણા આપતું પગલું લગન્ ૫હેલા પુરુષ અથવા તો સ્ત્રીને એઇડસ કે થેલેસેમિયા વગેરે જેવી ગંભીર બિમારીઓ હોય તેવા છેતરંપિડીના બનાવો અનેક વખત બહાર આવતા હોય છે, આવા સંજોગોમાં પણ આજે સુધરેલા ગણાતા શિક્ષિત પરિવારો પણ લગન્ પહેલા કોઇ પણ તબીબી પરિક્ષણો કરાવતા નથી. ત્યારે સામાન્ય રીતે જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેવા ખારવા સમાજ દારા અન્ય સમાજને પ્રેરણા આપે તેવું ઉમદા કાર્ય થઇ રહયું છે. ખારવા સમાજ ઘ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના સમાજના સંતાનોના લગન્ પહેલા ફરજિયાત એઇડઝ અને થેલેસેમિયા ટેસ્ટ ટેસ્ટ કરવામાં આવે છે.સામાન્ય લાગતી આ વાત અસામાન્ય એટલા માટે છે કે ખારવા સમાજ સામાજિક દષ્ટિએ પછાત માનવામાં આવે છે. છતાં તેઓ દારા પોતાના સમાજમાં અસાધારણ રોગ ન પ્રવેશે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયત્ન ચાલી રહયા છે જે આ સમાજમાં કેટલી જાગૃતિ છે તે બતાવે છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા અને સુદામાનગરી તથા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરમાં ખારવા સમાજના ૮પ હજાર લોકો વસે છે. ખારવા સમાજમાં ૩૦૦૪૦૦ વર્ષોથી પંચાયત (કોર્ટ) હોય છે. જેના પ્રમુખ(વણોટ) સહિત ર૭ વ્યકિત પંચાયતના સભ્ય હોય છે. આ પંચાયત સર્વસ્વીકૃત અને સર્વમાન્ય હોય છે. જેમાં પોતાના સમાજ ઉપયોગી નિર્ણયો લેવાતા હોય છે. અને સમાજના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થતો હોય છે. ર૦૦૪ની સાલમાં દુનિયાને જયારે એચઆઇવીએઇડસે અને થેલેસેમિયાને ભરડામાં લઇ રહયુ હતું ત્યારે ખારવા સમાજના કેટલાક આગેવાનોએ નકકી કર્યુ કે આપણા સમાજમાં આ રોગ પગપેસારો ન કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરુ કરીએ. અને સમાજમાં લગન્ પહેલા એઇડસ ટેસ્ટ ફરજિયાત કરવાનું નકકી કરાયુ. મોટાભાગે પરિવારજનોથી દૂર રહેતા લોકોમાં એઇડસ જેવા રોગો વધુ જોવા મળતા હોય છે. ખારવા સમાજમાં આ નવો વિચાર મુકયા બાદ તેને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આગેવાન કમલેશ ખોખરા કહે છે, ર્ ર્ અમારા આ નિર્ણયને સમાજમાં આવકાર મળયો. જો કે શરુઆતમાં સમાજના લોકો સુધી એઇડસ ટેસ્ટની વાત પહોંચાડવામાં અમને ખૂબ તકલીફ પડી. પેમ્ફલેટ, એલસીડી પ્રોગ્રામ તથા લોકસંપર્ક દારા અમે લોકોને સમજાવતા. અમારા સમાજમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ થોડુ ઓછુ એટલે એવી વાતો થતી રહેતી કે એઇડસ પરીક્ષણ એટલે નવી કડાકૂટ કહેવાય. પરંતુ પ્રત્યક્ષ રીતે કયારેય પણ કોઇએ વિરોધ કર્યો નહોતો. ઉલટાનો ધીમે ધીમે સાથ મળી રહયો હતો. જયારે કોઇ લગનેત્સુક યુવક કે યુવતીને તેના સગાઇ પહેલા એઇડસ ટેસ્ટ કરાવાનું કહીએ તો પહેલા તો આંચકો જ લાગતો. તેઓ કહેતા કે એની શું જરુર છે. પછી અમે તેમને એઇડસની ગંભીરતા સમજાવતા. પોતાની રીતે તો એઇડસ ટેસ્ટના રિપોર્ટસ રજૂ કરવા જ પડતા. સાથો સાથ અમારી લેબોરેટરીમાં પણ તેઓનો ફરીથી ટેસ્ટ કરાવી પુનઃ પરીક્ષણ કરાવતા.ર્ ર્ ભવિષ્યમાં ખારવા સમાજના લોકો આ બિમારીનો ભોગ બનતા અટકે તે ઉદેશ સાથે શરુ થયેલા એઇડસ પરીક્ષણના છ વર્ષ દરમિયાન બે યુવતીઓ એચઆઇવી ગ્રસ્ત હોવાનું બહાર આવ્યંુ હતું. આ વિશે કમલેશભાઇ કહે છે, ર્ ર્ બંને યુવતીઓના એઇડસ પરીક્ષણના રિપોર્ટ એચઆઇવી પોઝીટીવ આવ્યા ત્યારે અમારે તેમના ફેમિલિને બહુ જ સમજણ પૂર્વક સમજાવવું પડયુ હતું. લગનેત્સુક યુવતીનું ઘર બંધાવાનું સપનુ જાણે અમે તોડી રહયા હોય તેવો ભાર ત્યારે અમારી ઉપર હતો. અમારા કાઉન્સીલરોએ તે યુવતીઓને પણ સમજાવ્યુ. અત્યારે બંને યુવતીઓ એઇડસમાટે કામ કરતી સંસ્થાઓમાં કાર્યરત છે.ર્ ર્ ખારવા સમાજ દારા બાળકોનો થેલેસેમિયા ટેસ્ટ પણ થાય છે. ખારવા સમાજઆગેવાન અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઇ ગોહિલ કહે છે, ર્ ર્ અમારા સમાજમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરની વ્યકિત લગન્ ન કરી શકે. લગન્ની નોંધણી ફરજિયાત કરાવવી જ પડે. દરેક જન્મ લેનાર બાળકોની નોંધણી ખારવા સમાજ દારા રખાય છે. જે પૈકી ત્રણ બાળકો થેલેસેમિયાગ્રસ્ત હતા. તેઓને ખારવા સમાજ દારા જ સારવાર અપાય છે. બાળકોમાં જીનેટિક ખામી ન સર્જાય તે માટે ખારવા સમાજમાં વર્ષોથી પોતાની કે મોસાળ પક્ષના કુટુંબમાં લગન્ ન કરવાની પરંપરા છે. આ સમાજમાં નજીકના સગાઓમાં પણ લગન્ થતાં નથી.ર્ ર્ પોરબંદર ઉપરાંત માંગરોળ, વેરાવળ સહિતના ખારવા સમાજમાં પણ થેલેસેમિયા અને એઇડસ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. ખારવા સમાજ દારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ થાય છે. જેમાં સમૂહલગન્, તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ, વિધાર્થીઓને પુસ્તક સહાય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિધાર્થી છાત્રાલય, લાયબ્રેરી અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. ૧પ લાખના ખર્ચે બનેલ આ હેલ્થ સેન્ટરમાં અઘતન લેબોરેટરી પણ બનાવવામાં આવી છે. જેમાં એઇડસનું પરીક્ષણ પણ કરવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરમાં માત્ર ખારવા સમાજ નહી પરંતુ તમામ ગરીબ લોકોને સારવાર આપવામાં આવે છે. ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. આ સમાજ પાસે પોતાના તાલીમબધ્ધ તરવૈયાઓ છે, કોઇ બિમાર હોય, પૂરમાં ફસાઇ જાય ત્યારે ઉપયોગી બને તે માટે બે એમ્બ્યુલન્સ પણ વસાવાઇ છે. આ ઉપરાંત દરિયામાં ડુબતા લોકોને બચાવવા માટે લાઇફ બોટો વસાવાઇ છે. કમલેશભાઇ કહે છે, ર્ ર્ પોરબંદરમાં અવારનવાર આવતા દરિયાઇ તોફાનો અને છાયા વિસ્તારના પૂરના પાણીમાંથી અમારા તરવૈયા, માછીમારો લોકોને બચાવતા હોય છે. ખુદની બોટો અને પોતાના ડિઝલનો તો ઉપયોગ કરે જ પરંતુ પોતાની જિંદગીની બાજી ખેલનાર ફિશરમેન એક પણ રુપિયો કે કોઇ જ આર્થિક સહાયની આશા રાખતો નથી. પરંતુ તે સરકાર પાસે શાબાશીની તો આશા તો રાખે જ છે. જેમ ચોરવાડની શિક્ષિકાના મૃતદેહ બહાર લાવનાર ફિશરમેનોને સરકારે શાબાશી આપી તેવી પીઠ પોરબંદરના માછીમારો રાખે છે.

3 comments:

  1. 19 august pachhi navun kain mathi lakhyun ?????

    ReplyDelete
  2. visit my blogs http://SACHCHAEENORANAKO.blogspot.com
    http://WETHEPEOPLEOFRAJKOT.blogspot.com

    ReplyDelete