સૌરાષ્ટકચ્છમાં કળા, સંસ્કૃતિ, ધીંગાણા, યુધ્ધ વગેરેની સાખ પૂરતાં અનેક ખાંભીપાળિયાઓ જોવા મળે છે. તે ઈતિહાસને જાણવામાં ઘણા મદદરુપ બને છે, પરંતુ દુઃખની વાત છે કે તુ પૂરતા સચવાયા નથી
ર્ કામ કરી કરીને પાળિયા થઇ ગયા.ર્ આ શુ ? તમે આ પથ્થરની કેમ પૂજા કરો છો?
ઉપરના બંને સંવાદો સાંભળવા મળે જો તમે સૌરાષ્ટકચ્છ તરફ જાવતો. વીરતાની અનેક ગાથાઓથી ભરેલા આ પ્રદેશમાં પ્રદેશને, તેની સંસ્કૃતિને, તેની કલાને, તેના ધર્મને સાચવવા માટે લડેલા અને શહીદ થયેલાની સ્મૃતિરુપે સ્મારક બનાવાય તેને ત્યાંની બોલીમાં ખંાભી પાળિયા કહે છે. એટલું કામ કરવું પડે કે જેના કારણે ભાવાતિરેકમાં શહીદ જેવા થઇ ગયા હોય એટલે એમ શબ્દપ્રયોગ કરવામાં આવે કે કામ કરીને પાળિયા થઇ ગયા. તો વળી, કોઇ પરાઇ ભૂમિનો જણ આ પ્રદેશનમાં આવ્યો હોય તો ત્યાં પાળિયાની થતી પૂજા જોઇએ બોલી બેસે કે, આ પથ્થરની કેમ પૂજા કરો છો ?
આપણા સાંસ્કૃતિક જીવન અને ઇતિહાસનું અધ્યયન કરવાનો એક મહત્વનો સ્ત્રોત આ સ્મારકો છે. તે ગુજરાતમાં બીજી સદીથી સ્થપાતા હોવાનું જાણવા મળે છે. આ વિવિધ સ્મારકોમાં ખાંભીપાળિયા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઇતિહાસમાં સંશોધનો માટે અલગઅલગ પુરાતત્વીય સાધનોનો ઉપયોગ ઇતિહમસવિદો અને પુરાતત્વીયખાતા દારા કરવામાં આવે છે. તેમાં મહત્વનાં સાધનો કોઇ હોય તો તે છે પાળિયા, પણ ઇતિહાસને સાચવતા આ પાળિયાની આજે દુર્દશા જોવા મળે છે.
પાળિયા અનેક સ્વરુપ જોવા મળે છે. પાળિયા સાથે મોટા ભાગે વર્ષો પહેલા યુધ્ધમાં શહીદ થતા રાજાની યાદગીરી રુપના લખાણોચિત્રો, વીરગતિ પામેલ યોધ્ધાઓ અને પતિ પાછળ સતી થતી મહિલાઓની ગાથા જોડાયેલા હોય છે.
આ પાળિયા ઉપર બહુતયા ટોચ ઉપર સૂર્યચંદ જેવાં શાશ્વત કીર્તિના ધોતક પ્રતીકો વચ્ચે યોધ્ધા સતીની આકૃતિ અને નીચે તેને લગતો લેખ હોય છે. આ લેખ વિગતો બરાબર વંચાતા હોય તો ખાંભી પાળિયાની વિવિધ વિગતો ઉપર પ્રકાશ પાડે છે, પરંતુ જો એ લેખનો પાઠ સુવાચ્ય ન હોય, તો એ વિગતો માટે એન લગતી સ્થાનિક પ્રચલિત કથાઓ પર જ આધાર રાખવો પડે છે.
પાળિયાનાં નામ, વિવિધ અંગો, કોતરણીની કલાત્મકત, એમાં વ્યકત થતો પહેરવેશ, આયુધો, વાહનો વગેરેની ખૂબીઓ, પાળિયા પરના લેખો, એની ભાષા તથા લિપિ એમાંના વિવિધ શબ્દપ્રયોગો, કોઇ પાળિયામાં કંડારાતી અશ્લીલ આકૃતિઓનું તાત્પર્ય, પાળિયાના મુખ્ય પ્રકાર, આત્મબલિદાનનાં વિવિધ નિમિત, પાળિયા પ્રત્યે પ્રયોજાતા આદરમાન પૂજનઅર્ચન પરથી જે તે સમયની કળા, સંસ્કૃતિ, ઇતિહાસ વગેરેનો ખ્યાલ આવી શકે છે.
કોઇ પણ સ્થળનો ઇતિહાસ જે તે પ્રદેશની સામાજિક રાજકિય તેમજ સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. પાળિયા એ પૃથ્વીના પટ પર પડેલા કાળના અક્ષરો છે. ખાંભીપાળિયા વીરપૂજાના પ્રતીકો છે. ઇતિહાસના જીવતાજાગતા સ્મારકો છે. પુરાતત્વના સંશોધકો માટે તો પાળિયા ભંડાર સમા છે. અનેક સંશોધકો દારા પાળિયા વિશે સંશોધન પણ થઇ ચૂકયા છે.
પરંતુ ઐતિહાસિક વારસા સમા આ પાળિયાની આજે કેવી દશા છે? તેની જાળવણી માટે કેવા પ્રયઌો થઇ રહયા છે ? સરકારી સ્તરે પાળિયાની કેવી દેખરેખ થઇ રહી છે ? આ જાણકારી મેળવવાની અભિયાને કોશીશ કરી છે.
ગુજરાતના ગામે ગામ પાળિયા આવેલા છે. અને એટલે જ રાજય સરકારનો પુરાતત્વ વિભાગ દરેક ગામમાં પાળિયાના સંરક્ષણ માટે પ્રંબધ કરી શકે તેમ નથી. આ માટે સ્થાનિક શાળા, પંચાયત કે એન.જી.ઓ.એ. આ ઐતિહાસિક પાળિયાનું જતન કરવું જોઇએ. જોકે પ્રજા અને સરકાર પણ સકિય બની જાળવણી કરે તે જરુરી છે.
સૌરાષ્ટ અને કચ્છમાં પુરાતત્વની સર્કલ કચેરી રાજકોટ અને ભૂજ એમ બે સ્થળોએ આવેલી છે. રાજકોટના પુરાતત્વ વિભાગના સહાયક પુરાતત્વ નિયામક ડી.કે. રાઠોડ અભિયાન સાથેની વાતચીતમાં કહે છે, સૌરાષ્ટકચ્છના અનેક ગામોમાં પાળિયા આવેલા છે. તે પૈકી રાજકોટ પુરાતત્વ વિભાગ પાસે જસદણના આટકોટના સીમાડાએ કચ્છના રાજવી લાખા ફુલાણીનો પાળિયો આરક્ષણમાં છે. વીસેક વર્ષથી આ પાળિયો પુરાતત્વ દારા રક્ષિત છે. ઘણાખરા પાળિયા ધાર્મિક મહત્વ ધરાવતા હોય છે, પ્રાચીન ઐતિહાસિક મહત્વ હોતા નથી.
રાઠોડના કહેવા મુજર, બહુતય જેતે ગામની પંચાયત જ ગામના પાળિયાની જાળવણી કરતી હોય છે, પુરાતત્વખાતું નહીં. રાજકોટમાં વર્ષોથી આ પાળિયો પુરાતત્વખાતા દારા રક્ષિત છે. એ સિવાય કચ્છમાં ભૂજ પુરાતત્વખાતા પાસે એક પાળિયો રક્ષણમાં નથી.
ખાંભી પાળિયા ગુજરાતના પ્રદેશેપ્રદેશે અલગ અલગ તરી આવે છે. ઉતર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક પ્રકારના પાળિયા જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં કલાના નમૂના જેવા ખાંભા નજરે ચડશે. સૌરાષ્ટકચ્છનું લગભગ કોઇ ગામ ખાંભી પાળિયા વિહોણું હોય તેવું ન બને.
ભુજમાં રહેતા ઉમિયાસ અંજાણી ઇતિહાસના જાણકાર છે. પાળિયા વિશે વાત કરતા તેઓ કહે છે, કચ્છના છતરડી સહિતનાં અનેક સ્થળોએ ઝારા કંસરમાં લડાયેલા યુધ્ધ વખતના પાળિયા, વ્રજવાણીના ઢોલી સતી સ્ત્રોઓના પાળિયા વગેરે ઐતિહાસિક પાળિયોઓ આવેલા છે.
તેઓ સ્પષ્ટપણે માને છે કે સરકાર કંઇ બધા જ સ્થળોના પાળિયાનું ધ્યાન ન રાખી શકે. જોકે તેઓ એમ ચોકકસ કહે છે કે અમુક ચોકકસ સ્થળના પાળિયાને પુરાતત્વના નિયમોને આધીન આરક્ષિત જરુર કરી શકાય.
રાજકોટના સહાયક પુરાતત્વ નિયામક ડો. ડી.કે. રાઠોડ કહે છે, પાળિયાની વિશેષ માવજત નથી કરવ પડતી. પાળિયા જમીનમાં જ દાટેલા હોય છે. તેથી તેની ચોરી થતી નથી. અને તોડફોડ થવાની સંભાવના થોડીઘણી ખરી. જયાં જરુરી લાગે ત્યાં સરકારી સ્તરે જમીન લઇને ફેન્સિંગ કરી શકાય.
જોકે હકીકત છે કે પાળિયા ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. અને તેની જાળવણી કોઇ પણ રીતે થવી જ જોઇએ. ગુજરાતના અનેક ગામોના પાળિયા જર્જરિત થઇ ગયા છે, તો કેટલાક પાળિયા જમીનમાં દટાઇ ગયા છે, કેટલાક પાળિયાને જે તે સ્થળથી દૂર સ્થળાંતરિત કરાયા હોવાનું જાણવા મળે છે. સરકારે દરેક ગામના પાળિયાના સર્વે કરાવી તેને આરક્ષિત કરવા જોઇએ. તો અને તો જ ગુજરાતનો આ ઐતિહાસિક વારસો સાચવી શકાશે. ચોટીલાના ગઢના દરવાજે પરમારોની ખાંભી જમીનમાં દટાઇ ગઇ છે. ફકત માથાઓ જ દેખાય છે.
કયા પાળિયા કયા આવેલા છે ?
વેરાવળના ભાલકાતીર્થમાં શ્રીકૃષ્ણની ખાંભીપાળિયો હજારો વર્ષથી છે. ઝાલાવડના આંબરડીમાં અણનમ માથાની ૧ર ખાંભી, ગીરના જંગલ તથા ભાણવડના ભૂતવડમાં વીર માંગડાવાળાની ખાંભી તથા સતી પદમાનો પાળિયો, મેવાસાકાલાવડમાં રાખાઇશ બાબરિઆનો, બરડા ડુંગરના ધુમલી પાસે સતી સોનાનો ૮૦૦ વર્ષ પહેલાનો, બરડા પ્રદેશમાં મહેર બહારવટિયા અને નાના મોઢવાડિયાની ખાંભી, વલભીપુર પાસે એભલવાળી, થાનજામનગરમાં જેઠવાઓની, ચોટીલામાં ચારણ, કરણાગોળની સુદામડા પાસે દરબારો સાથે કાના ઢોલી, સરવા ગામે ચારણ નાગ જણ, મડલી ગામે રાંકાન રાજા, સરધારમાં આઇ સીમોઇ, ખરેડી ગામે લો માખુમાણ, મોરલી પાસે ઠાકોર આલી આજી, જાંબુડામાં આપા ભાણળ, કચ્છના વાગડના ગઢડા ગામે સિંધણ તથા બે ચારણ, લાલવદરમાં ભડવીર ભૂદેવના, માળિયા હાત્રીના કનરા ડુંગર ઉપર મૈયાઓની ખાંભી, બગસરામાં જૂનાગઢના રાજવી રાર્ માંડળિકનો, પોરબંદરના કાટવાણા ગામે ખાંટ ભાઇબહેનના, મુંદાના ગૌધનની વહારે ચડી ભળી જનાર વીર શિળુભાનો પાળિયો, સોમનાથ મંદિરે હમીરજી ગોહિલનો, ભાવનગર જિલ્લાના ચોસલા ગામે હરજણજીનો, મૂળીમાં જોમબાઇમાનો, કેશોદ તાલુકાના કેવયા ગામે કૂતરીન ખાંભી પણ જોવા મળે છે. બાલાગામ, માંડલ, ગઢડા, બોડીદર, જેતપુર, મોણિયા સહિતના ગામે પણ પાળિયા આવેલા છે.
આ પાળિયા અને ખાંભી એ પણ બતાવે છે કે જયારે સંકટ આવતું ત્યારે યુધ્ધ લડવાની કોઇ એક જ્ઞાતિની જવાબદારી સમજીને ચૂપ નહોતા બેસી રહેતા, પરંતુ હર કોઇ પોતપોતાની શકિત પ્રમાણે યુધ્ધમાં ધીંગાણામાં ઝંપલાવતા હતા.
Tuesday, March 30, 2010
Subscribe to:
Post Comments (Atom)

very nice ...i m aslo happy to read this. i have also worried bout stones of gujarat and i like to search and i have also like to read stones n photographs thank you
ReplyDelete